વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ , ગીર સોમનાથ

     ડાભોર-વેરાવળ રોડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગીર સોમનાથ જિલ્લાની નવનિર્મિત અને આયુષ્માન ભારત અને મા જેવી આરોગ્યલક્ષી યોજના હેઠળ સારવાર આવરી લેતી વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે, મુખ્યમંત્રીની સાથે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય સર્વ અને અગ્રણીઓ પણ જોડાયા હતાં.

આ તકે સ્વાગત પ્રવચન લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ હેઠળ ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’ થકી છેવાડાના માનવીને પણ મુખ્યધારામાં કેવી રીતે લાવી શકાય એવા કામ થઈ રહ્યા છે. ગ્રામ્યસ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધાથી સામાન્ય જનતાને પણ સ્વાસ્થ્યની સુરક્ષા ઉપલબ્ધ થશે અને આવા સેવાકાર્યની સુવાસ ફેલાતી રહેશે. એનજીઓ અને અન્ય સંસ્થાઓ જ્યારે સરકારનો સાથ આપે છે ત્યારે એનર્જી બમણી થઈ જાય છે. આ જ રીતે રાજ્યને વિકસીત ગુજરાત બનાવવામાં આપણા બધાનો પણ સિંહફાળો નોંધાવીએ એવી અભ્યર્થના. જ્યારે નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારના તમામ લોકો માટે આશીર્વાદરૂપ બનશે.

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુસર વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે અદ્યતન મશીનો અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિવિધ ૯ વિભાગ તથા હૃદયની સારવાર આપતી કેથલેબ સાથેની અદ્યતન સુવિધાઓ ધરાવે છે. આ હોસ્પિટલ જનરલ સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયાક અને બાળરોગ, પ્રસુતિ અને સ્ત્રીરોગ જેવા વિવિધ વિભાગ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની અદ્યતન સુવિધા પણ પૂરી પાડશે.

આ તકે, વિમ્સ ડિરેક્ટર અરજણભાઈ ભમ્મર, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, અમરિશભાઈ ડેર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન કાનાભાઈ મુછાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની તેમજ જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રઘુભાઈ હુંબલ, સંત શેરનાથબાપુ, ઈન્દ્રભારતીબાપુ, બાલકનાથબાપુ સહિત જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment